Skip to main content

Featured

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

  માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રે...

શ્રી રૂપાલા સાહેબના પ્રયાસો: દીવ્યાંગોના જીવનમાં ખુશીના નવા સંજોગો.

 

શ્રી રૂપાલા સાહેબના પ્રયાસો: દીવ્યાંગોના જીવનમાં ખુશીના નવા સંજોગો.

તારીખ 23 10 2024 ના રોજ એલીમ્કો કંપની દ્વારા ઈશ્વરીયા મુકામે અમરેલી જિલ્લા સમાજ સુરક્ષા અને સાંસદ સભ્ય શ્રીરૂપાલા સાહેબ ની મહેનતથી ગુજરાતની અંદર ભવ્યથી ભવ્ય મેગા કેમ્પ જેને કહી શકીએ તેવું પ્રથમ વાર અમરેલી જિલ્લામાં કાર્યક્રમ થયો હતો જેની અંદર 285 બેટરીવાળી ટ્રાઇસિકલ અને બીજી દિવ્યાંગોને લગતી જેમકે વિલ ચેર હાથેથી ચલાવતી શાદીટ્રાય સિકલ રૂપાલા સાહેબ ની મહેનતથી અમરેલી જિલ્લાને મળી હતી આ કાર્યક્રમની અંદર દિવ્યાંગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનનીય શ્રી રૂપાલા સાહેબનું અને સમાજ સુરક્ષા અધિકારી રવિરાજસિંહ ખેર સાહેબનું ટ્રાઇસિકલ સિમ્બોલ વાળી ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આપણા અમરેલીના ધારાસભ્ય ઉપદંડક કૌશિકભાઇ વેકરીયા આદરણીય દિલીપભાઈ સંઘાણી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હાજરી આપી હતી અને દિવ્યાંગોને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમથી ખરા અર્થમાં દિવ્યાગો ના ઘરે દિવાળી પહેલા દિવાળી જેવો ઉત્સાહ જોવા મળ્યો.



Comments